એકાત્મ માનવવાદને ૧૯૬૫માં ભારતીય જનસંઘના સત્તાવાર સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તે અત્યારે ભારતના પ્રમુખ રાજનૈતિક પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીની આધિકારીક વિચારધારા છે. દીનદયાલ ઉપાધ્યાયે સર્વોદય (સૌની પ્રગતિ), સ્વદેશી (ઘરેલું) અને ગ્રામ સ્વરાજ (ગામડાનું સ્વ-શાસન) જેવા ગાંધીવાદી સિદ્ધાંતો અપનાવ્યા હતા અને સાંસ્કૃતિક-રાષ્ટ્રીય મૂલ્યોને વધુ મહત્વ આપવા માટે આ સિદ્ધાંતોની પસંદગી કરવામાં આવી હતી. એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારો અને ગાંધીવાદના મુખ્ય સિદ્ધાંતોનો સમન્વય કરી ને તેમને હિંદુ રાષ્ટ્રવાદના નૂતન સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, ભારતમાં પ્રાથમિક ચિંતા એ એક સ્વદેશી વિકાસ મોડલ વિકસાવવાની હોવી જોઈએ, જેમાં માનવી તેના મૂળ સ્થાને કેન્દ્રિત હોય.
૧૬મી સદીમાં મુઘલો વિરુદ્ધના ભુચર મોરીના યુદ્ધમાં વીરગતિ પામેલા નવાનગરની સેનાના યોદ્ધાઓનાં સ્મારક અને પાળિયા. આ યુદ્ધ 'સૌરાષ્ટ્રનું પાણીપત યુદ્ધ' તરીકે પણ ઓળખાય છે.